English
Gujarati
અમારા વિષે
મુલાકાતીની માહિતી
અત્યારનું આકર્ષણ
વિજ્ઞાનનો બધે ફેલાવો
સ્વૈચ્છીક
સમારોહ સમયપત્રક
ભવિષ્યનું આકર્ષણ
ટેન્ડર નોટીસ
કારકિર્દી
મનોરંજનના સ્થળો
સાયન્સ સીટી ફોટો ગેલેરી
સાયન્સ સીટી સમાચાર માં
પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯
સંપર્ક
Latest News

Vibrant Gujarat


હોમ | ભવિષ્યનું આકર્ષણ | વિજ્ઞાન અને પ્રૌધોગિકીમાં ભારતીય વારસો

વિજ્ઞાન અને પ્રૌધોગિકીમાં ભારતીય વારસો

પ્રાસ્તાવિકઃ

લાખ્ખો વર્ષથી વિજ્ઞાન અને પ્રૌધોગિકી ભારતીય નાગરિકતા અને સંસ્કૃતિનો અંતર્ગત ભાગ છે. મહત્વના પાયાના વૈક્ષાનિક બનાવો અને અભિગમ માટે ભારત અગ્રેસર છે. આમાં ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, સ્થાપત્ય, રસાયણશાસ્ત્ર, હવામાનખાતુ, મેડિસીન નૈસર્ગિક તત્વજ્ઞાન અને બીજા ક્ષેત્રોમાં ઘણી મોટી વૈક્ષાનિક શોધ અને પ્રૌધોગિકી વિષયક સિધ્ધીઓને આવરી લેવામાં આવી છે. આમાંની ઘણી શોધ ભારતમાંથી બહાર છે. ભારતે પણ, ખુલ્લા મગજ અને વૈજ્ઞાનિક નીતિનો લાક્ષણિકતાઓ પ્રત્યે બુધ્ધિગમ્ય વલણ રાખીને બીજેથી વૈજ્ઞાનિક વિચારો અને ટેકનિક એકત્ર કર્યા છે.

ભારતનો વિજ્ઞાન અને પ્રૌધોગિકીનો સમૃધ્ધ વારસો

ભારતની પરંપરાઓ સાર્વગિક સંવાદિતા, તમામ જીવ માટે માન અને એકત્રિત સુંદર અભિગમના સિધ્ધાંતો પર સ્થાપાઈ છે. ભાવિ વૈજ્ઞાનિક પ્રગતિ માટે તેની પૂર્વભૂમિકા અમૂલ્ય સુઝ પૂરી પાડી શકે તેમ છે. સ્વાતંત્ર્ય અગાઉની સદી દરમિયાન અનેક અગ્રણી વૈક્ષાનિકોના પ્રાયાસોથી ભારતમાં આધુનિક વિજ્ઞાનની જાગૃતિ આવી. આતંરરાષ્ટ્રીય ઉચ્ચ કોટિની મહાન વૈજ્ઞાનિક પ્રગતિ માટે તે કારણભૂત છે.

સ્વાતંત્ર્ય પછીની અર્ધી સદીમાં ભારતે વિજ્ઞાનના ફેલાવાને ઉત્તેજન આપવાનું સ્વીકાર્યુ રાષ્ટ્રીય વિકાસના મહત્વના તત્વ તરીકે પ્રૌધોગિકીની મહત્વની ભૂમિકાને સારી રીતે પિછાણવામાં આવી. ૧૯૫૮ની વૈજ્ઞાનિક નીતિના ઠરાવ અને ૧૯૮૩ ના પ્રૌધોગિકી નિવેદને સિધ્ધાંતો પ્રતિપાદિન કર્યા. છેલ્લા અનેક દયકાથી વિજ્ઞાન અને પ્રૌધોગિકીની વૃધ્ધિ તેના પર આધારિત રહી છે. આ નીતિએ સ્વનિર્ભરતા તેમજ સ્થિર અને સમાન વિકાસ પર ભાર મૂક્યો છે.

વિજ્ઞાન અને પ્રૌધોગિકીમાં ભારતીય સામાર્થ્ય વિવિધ વિધાશાખાની પ્રભાવિક શ્રેણી, કાયઁક્ષમતા અને પ્રયોજનના ક્ષેત્રોમાં આવરી લેવાય છે. મૂળભૂત સંસોધનમાં ભારતની તાકાત આંતરાષ્ટ્રીય સ્વકૃતિ પામી છે. કૃષિ, આરોગ્ય સંભાળ, રસાયણો, ઔષધનિર્માણ, અણુઉર્જા, ખગોળશાસ્ત્ર, એસ્ટ્રોફિજીક્સ, અંતરીક્ષ પ્રૌધોગિકી અને તેના પ્રયોજના, સંરક્ષણ સંસોધન, બાયોટેકનોલોજી અને તેની પ્રયોજના, ઇલેકટ્રોનિક્સક, માહિતી પ્રૌધોગિકી અને સમુદ્ર વિજ્ઞાનની સફળતાને વ્યાપક સ્વીકૃતિ મળી છે.

મુખ્ય રાષ્ટ્રીય સિધ્ધિઓમં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો અનેક રોગોની નાબૂદી અથવા નિયંત્રણ આપણા નાગરિકોનું આયુષ્ય વધ્યું તેનો સમાવેશ થાય છે. આ બનાવો ખૂબ સંતોષકારક છે. આપણે થયેલા નાટયાત્મક ફેરફારોથી પણ વાકેફ છીએ. અને વિજ્ઞાનના મહાવરા, પ્રૌધોગિકીના વિકાસ અને તેના સમાજ સાથે સંબધઅને સામજ પર અસર જોઈએ છીએ. વિજ્ઞાન અને પ્રૌધોગિકી જે ઝડપથી આગળ ધપી રહ્યું છે તે નોંધપાત્ર છે.

વિજ્ઞાન વધુને વુધ આંતર અને વિવિધ વિધાશાખાવાળું બની રહ્યુ છે. અને વિવિધ-સંસ્થાકીય બનવા માગે છે. અનેકે કેસોમાં બહુરાષ્ટ્રીય સહયોગ માગે છે. મૂળભૂત સંસોધનનાં અનેક ક્ષેત્રોમાં પણ મુખ્ય પ્રાયોગિક સગવડો માટે ઘણી મહત્વની વ્યક્તિઓ અને બૌધ્ધિક સંસોધનોની જરૂર પડે છે.

વિજ્ઞાન અને પ્રૌધોગિકીની આર્થિક વુધ્ધિ અને સામાજિક વિકાસ પર અભૂતપૂર્વ અસર પડી છે. આનાથી જ્ઞાનની આપ-લે, બૌધ્ધિક મિલકત હકના અને વૈશ્વિક વેપાર અને પ્રૌધોગિકી નિયંત્રણ સ્થિતિના નવા માપદંડ પર નિયંત્રણો વધ્યાં છે.

આજે પણ વૈજ્ઞાનિક અને પ્રૌધોગિકીના વિકાસની ઉંડી નૈતિક, કાયદેસર અને સામાજિક અસરો પડી છે.

આ અંગે સમાજમાં ઉંડી ચિંતા છે. ચાલુ વૈશ્વીકરણ અન ેસદન સ્પર્ધાત્મક વાતાવરની ઉત્પાદન અને સેવા સેકટર પર ધણી અસર પડી છે. આ બધાંને કારણે, આપણા સમાજના બધા વિભાગોની સુખાકારી આગળ ધપાવવામાં નિર્ણાયત્મક અને લાભદાયી ભૂમિકા ભજવવાની હોય, તો આપણી વિજ્ઞાન અને પ્રૌધોગિકી પધ્ધિતમાં નવું જોમ પૂરવું પડશે.


સાયન્સ સિટીમાં વિજ્ઞાન અને પૌધોગિકીના વારસાનું પેવેલિયનઃ

ભારતીય વિજ્ઞાન અને પ્રૌધોગિકીના સમૃદ્ધ વારસાની વિશેષતા માટે વિજ્ઞાન અને પ્રૌધોગિકીના વારસા અંગે ગુજરાત સાયન્સ સિટી હાલ પેવેલિયન વિકાસવાનું વિચારી રહ્યું છે. આ પેવેલિયનમાં વિશ્વ વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, મેડિસીન અને શસ્ત્રક્રિયા, રસાયણશાસ્ત્ર, ઉધોગ અને ધાતુ વિજ્ઞાન, કલા અને સંસ્કૃતિ, ઈજનેરી અને સ્થાપત્ય તેમજ પરંપરાગત હુજાર ટેકનિક જેવા વિષયો એકત્રિત કરવામાં આવશે. આ પેવેલિયનમાં, યુવાન માનસમાં રચનાત્મક બુધ્ધિશકિત આપવા અગાઉના મુખ્ય પ્રયોગોની મહત્વની વૈજ્ઞાનિક વિભાવના અને પુનર્રચના સમજાવતીં નવી ડિઝાઈન અને સંખ્યાબંધ કાયઁઅ-ક્રિયાશીલ - સજીવ વસ્તુઓ અને મોડલ રાખવામાં આવશે.

વિજ્ઞાન અને પ્રૌધોગિકી વારસા પેવેલિયનના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે.

ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ધાતુ વિજ્ઞાન, આયુર્વેદ, દવા, રસાયણશાસ્ત્ર, શસ્ત્રક્રિયા, કલા અને સ્થાપત્ય વગેરે ક્ષેત્રોમાં આપણા ઋષિઓના ફાળાના બનાવો દ.ર્શાવવા.
યુવાન માનસમાં રચનાત્મક બુધ્ધિશકિત આપવા અગાઉના મુખ્ય પ્રયોગની મહત્વની વૈજ્ઞાનિક વિભાવના અને પુનર્રચના સમજાવતાં સંખ્યાબંધ આંતરસક્રિય - સજીવ વસ્તુઓ અને મોડલની ડિઝાઈન કરવી અને તેનો વિકાસ કરવો.
વિજ્ઞાન અને પ્રૌધોગિકીના મૂળભૂત સિધ્ધાંતમાં ભારતીય રિવાજ, પરંપરા અન તત્વજ્ઞાનના સમુદ્ધ વારસા અંગે યુવાન પેઢીને પ્રેરણા આપવી
ગુજરાત રાજયના કલા, સંસ્કૃતિ, રચનાત્મકતા અને વારસા અંગે વધારે ધ્યાન કેન્દ્રિત કરવુ.

વસ્તુઓ અને મોડલની યાદીઃ

ગુજરાત સાયન્સ સિટી પરિષદના સલાહકાર ડો. સરોજ ધોષે આ પેવેલિયન માટે વસ્તુઓની યાદી તૈયાર કરી છે. ડો. ધોષે અમેરિકા, યુરોપ, રશિયા અને ચીનમાં જુદા જુદા વિજ્ઞાન સંગ્રહાલય માટે અગાઉ આ અંગે કેટલીક વસ્તુઓની રચનાં કરી છે અને વિકસાવી છે.

વસ્તુના આવરણમાં વિશ્વ વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, મેડિસીન, રસાયણશાસ્ત્ર, ધાતુ વિજ્ઞાન, કલા અને સ્થાપત્ય તથા પરંપરાગત હુજાર ટેકનિકનો સમાવેશ થાય છે.